કેશોદ બ્રહ્મ સમાજ દ્વારા કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને લીંબુ શરબત પીવડાવી ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવ્યો...
કેશોદઃ ચિરંજીવી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર દુનિયાને ખેતી શીખવનાર પ્રકૃતિ રક્ષક, અત્યાચારો સામે અવાજ ઉઠાવનાર એવાં ભગવાન પરશુરામ દાદાનાં જન્મોત્સવ નિમિત્તે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કેશોદ કોવીડ કેર હોસ્પિટલમાં સારવાર મેળવતાં તમામ દર્દીઓને તેમજ મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો ને લીંબુ શરબત પીવડાવી ભગવાન પરશુરામ દાદા જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
બ્રહ્મસેના ગુજરાતનાં જુનાગઢ જિલ્લા કન્વીનર રાજુભાઈ પંડ્યા, કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રફુલભાઈ પંડ્યા, જયંતભાઈ પંડ્યા, વિપુલભાઈ ભટ્ટ, તુલસીભાઈ ટીટીયા, હિતેશભાઈ રાવલ, જટાશંકર દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને લીંબુ શરબત પીવડાવી ભગવાન પરશુરામ દાદા ને કેશોદ શહેર તાલુકા ને કોરોના મુકત બનાવવા માટે પ્રાર્થના કરી હતી. છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે જાહેર કાર્યક્રમો યોજવા સંભવિત નથી ત્યારે કેશોદ બ્રહ્મ સમાજ દ્વારા ગત વર્ષે પણ જુદા-જુદા અન્નક્ષેત્ર અને પોલીસ પોઈન્ટ પર શરબત પીવડાવી ભગવાન પરશુરામ દાદા જન્મોત્સવ ઉજવયો હતો.(તસ્વીર-અહેવાલઃ કિશોરભાઇ દેવાણી- કમલેશ જોશીઃ કોડીનાર)