પરેશ ધાનાણી મોરબી સિવિલ મુલાકાતે
મોરબી,તા. ૧૫: મોરબી જીલ્લામાં કોરોના મહામારીને ધ્યાને લઈને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મોરબી સિવિલ હોસ્પિટલણી મુલાકાત લીધી હતી જે પ્રસંગે તેમની સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ પણ જોડાયા હતા.
મોરબી સિવિલ હોસ્પિટલ મુલાકાત પ્રસંગે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોરોનાણી બીજી લહેરણી ઘાતક અસર ગ્રામ્ય પંથકમાં થવા પામી છે અને કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મોરબી સિવિલમાં ૧૭૫ બેડની જ વ્યવસ્થા કરાઈ છે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ઓકસીજન, દવાઓ અને ઓકસીજન માટે લાંબી કતારો જોવા મળી હતી તો મોરબીની સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી સાથે જ રાજય સરકાર મોતના આંકડા છુપાવતી હોય તેવું તેને તમામ જીલ્લાના પ્રવાસમાં નોંધ્યું હોવાનું જણાવ્યું હતું અગાઉ તેઓએ સરકાર પાસે મૃતકોના પરિજનોને ૪ લાખની સહાય, કોરોના સારવાર દરમિયાન ગંભીર આડ અસરથઈ મૃત્યુ પામેલ દર્દીના પરિવારને ૩ લાખ, શંકાસ્પદ કોવિડ મૃત્યુ પામેલ દર્દીના પરિવારને ૨ લાખ અને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ૧ લાખ રૂ સહાય આપવામાં આવે તેવી માંગ કરી ચૂકયા છે જે મોરબીની મુલાકાત સમયે ફરીથી કરી હતી.