ગીર સોમનાથમાં ૧પ૮ પોઝીટીવ કેસો વેરાવળ સોમનાથ કોરોનામાં રરના મૃત્યુ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: ગીર સોમનાથ જીલ્લામાં ૧પ૮ પોઝીટીવ કેસો નવા નોધાયા હતા ર૪ કલાક માં રરના મૃત્યુ થયેલ હોય તેવું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે હોસ્પીટલોમાં આવતા કેસોમાં ઘટાડો નોંધાયો છે પણ ખાનગી હોસ્પીટલોમાં હજુ પણ જગ્યા મળતી ન હોય તેવું જાણવા મળેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાં પોઝીટીવ કેસોમાં પથાવત સ્થિતી રહેલ છે ફકત આરટીપીસીઆર ટેસ્ટ માં ૧પ૮કેસો આવેલ છે, રજા ૧૧૮ને અપાયેલ છે મૃત્યુ આંક ૦૦ નોધાયેલ છે ત્યારે બિન સતાવાર રીતે વેરાવળ સોમનાથ માં રર ના મૃત્યુ થયેલ હોય તેની અંતિમક્રીયા અને દફનવીધી કરાયેલ હોય તેમ જાણવા મળેલ છે હોસ્પીટલોમાં આવતા કેસોમાં ધટાડો નોધાયેલ છે પણ ખાનગી હોસ્પીટલોમાં ખાટલા મળતાનથી સીવીલ હોસ્પીટલ વેરાવળ માં હજુ પણ ર૦૦ નું વેઈટીગ લીસ્ટ હોવાનું સતાવાર જણાવ્યું હતું.
આરોગ્યના નિષ્ણાંતોએ જણાવેલ હતું કે ગ્રામ્ય વિસ્તાર તેમજ અમુક ભરચક વિસ્તાર જે છે તેમજ હાલ માં તહેવારો પુર્ણ થયેલ છે તેમાંથી વધારે દર્દીઓ આવવાની સંભાવના છે એકાદ અઠવાડીયા સુધી હજુ પણ વધારમાં વધારે સાવચેતી રાખવી પડશે જો બેદરકારી રાખવામાં આવશે તો જીલ્લામાં ફરી પાછી મોટી મુશ્કેલી સર્જાશે.