સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 8 લોકોના મોત : નવા 433 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 297 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 201 કેસ ,જૂનાગઢ તાલુકામાં 22 કેસ, માળીયામાં 45 કેસ, કેશોદમાં 39 કેસ, માંગરોળમાં 33 કેસ, વિસાવદરમાં 28 કેસ,માણાવદરમાં 23 કેસ,ભેસાણમાં 15 કેસ,મેંદરડામાં 14 કેસ,વંથલીમાં 13 કેસ નોંધાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાએ વધુ 8 લોકોનો ભોગ લીધો છે આજે કોરોનાના નવા 433 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 297 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 433 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 201 કેસ ,જૂનાગઢ તાલુકામાં 22 કેસ, માળીયામાં 45 કેસ, કેશોદમાં 39 કેસ, માંગરોળમાં 33 કેસ, વિસાવદરમાં 28 કેસ,માણાવદરમાં 23 કેસ,ભેસાણમાં 15 કેસ,મેંદરડામાં 14 કેસ,વંથલીમાં 13 કેસ નોંધાયા છે

(8:51 pm IST)