સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને ભાવનગરમાં સોમ અને મંગળવારે રસીકરણ બંધ

મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ ભાવનગરમાં રસીકરણ પ્રભાવિત થયું છે. ભાવનગરમાં 17 અને 18 મેના દિવસે રસીકરણનો કાર્યક્રમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભાવનગર મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. શહેરમાં વાવાઝોડાની સંભવિત અસરોને લઈ 2 દિવસ રસીકરણ બંધ રહેશે

(12:21 am IST)