જામનગર બજરંગ દળ દ્વારા કાલે કલેક્ટરને આવેદન
જામનગર, તા. ૧૫ : તાજેતરમાં જ યુપી, બિહાર, રાચી, પશ્વિમ બંગાળ, ઝારખંડ સહિતના અનેક ભારતના રાજ્યોમાં વિધર્મીઓ દ્વારા શુક્રવારે નમાજ બાદ દેખાવો કરી પથ્થરમારો કર્યો હતો અને સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડયું હતું. ત્યારે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા બજરંગ દળની આગેવાનીમાં ગુરુવારે સમગ્ર ભારતની સાથે જામનગરમાં પણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
વિધર્મીઓ દ્વારા દેશભરમાં થયેલા દંગા અને શાંતિ ડહોળવાના પ્રયાસને વખોડી ભારતમાં કોમી રમખાણો કરવાના હીન પ્રયાસને જડબતોડ જવાબી કાર્યવાહી કરી જવાબદારો સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવે અને આવી ઘટનાઓ દેશભરમાં ન બને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવે તે માટે રજૂઆત કરી જવાબદારોને મિલકત જપ્ત કરી નસીહત રૂપ પગલાં લેવા માગણી કરવામાં આવશે.
વિધર્મીઓના પૂર્વ નિયોજિત કાવતરાઓ ને લઈને હિન્દુ સમાજ દ્વારા જામનગરમાં પણ સમગ્ર ભારતની સાથે ગુરુવારે સાંજે ચાર વાગ્યે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા નું નક્કી કરવામાં આવ્યું છે. આ વેળાએ સમગ્ર હિન્દુ સમાજના જ્ઞાતિ મંડળો, વિવિધ સંસ્થાઓ ને જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.