સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th June 2022

માળિયા મિંયાણાના નાની બરાર ગામે બિમારીથી કંટાળી પરણિતાનો આપઘાત

 (પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી,તા.૧૫ :  માળિયામિંયાણાના નાની બરાર ગામે માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસિડ ગટગટાવી આપઘાત કર્યા કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર નાની બરાર ગામે રહેતી રૈયાબેન કરશનભાઇ ચાવડા નામની મહિલા ૧૫ વર્ષથી માનસિક બીમારીથી પીડીત હતી. જેથી તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ ચાલુ હતી. આ બિમારીથી કંટાળી જઇને પરણિતાએ એસીડ ગટગટાવી લેતા  તેમને મોરબી સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

(1:35 pm IST)