સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

જુનાગઢ::અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પાલખી યાત્રા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ::અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા આજે નિલકંઠ મહાદેવ મંદીરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક ભક્તો સેવકો દ્વારા પુજ્યબાપુના અંતિમ દર્શન કર્યા હતા. નાનાપીરબાવાના શિષ્ય શ્રી હિમાશુગીરીએ પુજ્ય બાપુના પાર્થિવ દેહનું પુજન કર્યુ હતુ.આ પાલખી યાત્રામાં પુજ્ય તનસુખગીરીબાપુ, શ્રી મહંત ઈન્દ્રભારતીબાપુ, શ્રી મહેન્દ્રગીરીબાપુ, શ્રી મહેશગીરીબાપુ, શ્રી વૈજનાથબાપુ, યોગીભાઈ પઢીયાર, બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળીયા તથા દશનામ સાધુ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી નાના પીરબાવા ગણપતગીરીબાપુને શ્રધ્ધાંજલી આપી હતી.(તસ્વીર : મુકેશ વાધેલા-જુનાગઢ)

(10:32 am IST)