સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

અમરેલી ગણેશ મહોત્સવમાં પરેશ ધાનાણીનો શંખનાદ

 અમરેલી : ગણેશભકતો માટે ગણેશોત્સવનું મહત્વ અનન્ય છે. અને ભકતો આ ઉત્સવને અનેરા ઉત્સાહથી ઉજવે છે. ત્યારે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ ગણેશ ઉત્સવ નિમિતે અમરેલી ખાતે સાકરવાડા યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં આરતી ઉતારી અને ભાવવંદના કરી હતી. ગણેશોત્સવ સામાજિક સમરસતાની સાથે અનેકતામાં એકતાની ભાવનાને ચરિતાર્થ કરતો જનોત્સવ છે. પ્રત્યેક શુભકાર્યની શરૂઆત જેમના પૂજન થાય છે એવા વિધ્નહર્તા દેવશ્રી ગણેશજીને રાજ્યના જન-જનની સુખાકારી, સલામતી અને સમુધ્ધિ માટે અંતર મનથી પ્રાર્થના કરી હતી. અને શંખનાદ કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:32 pm IST)