મોરબી લોહાણા મહાજન દ્વારા સતીષભાઇનું અભિવાદન
મોરબીઃ લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સ્તરની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના નવનિયુકત પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી તથા લોહાણા મહાપરિષદ મહીલા વિભાગના આંતરરાષ્ટ્રીય પ્રમુખ રશ્મિબેન વિઠ્ઠલાણીનો અભિવાદન સમારોહ યોજવામા આવ્યો હતો. આ તકે જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના અગ્રણી ઉપરાંત મોરબી-વાંકાનેર-હળવદ-ટંકારા-પડધરી લોહાણા મહાજનના આગેવાનો દ્વારા સતિષભાઈ વિઠ્ઠલાણી તથા રશ્મિબેન વિઠ્ઠલાણીનુ અદકેરુ સન્માન કરવામા આવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે લોહાણા સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્યરત શ્રી લોહાણા મહાપરિષદના નવનિયુકત પ્રમુખ દ્વારા આગામી સમયમા જ્ઞાતિના ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રહેવા કોલ આપ્યો હતો. અભિવાદન કરવામાં આવ્યુ તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ -મોરબી)