સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

પ્રધાનમંત્રી કૌશલ્‍ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાના વર્ચ્‍યુઅલ લોંચીંગમાં પૂનમબેનની ઉપસ્‍થિતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા.૧૬: કૌશલ ભારત, કુશળ ભારત'ના સુત્રને સાર્થક કરતી પ્રધાનમંત્રી કૌશલ્‍ય વિકાસ યોજના ના ત્રીજા તબક્કાના લોંચીંગ વખતે જામનગર કેન્‍દ્ર ઉપર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમ ઉપસ્‍થિત રહ્યા હતા.

જામનગરના પ્રધાનમંત્રી કૌશલ્‍ય વિકાસ કેન્‍દ્ર ખાતે, મોદીજીના યુવાનો મા રોજગાર માટેનાᅠ કૌશલ્‍ય વિકાસના સ્‍વપ્‍નને પૂર્ણ રૂપ આપવાની મહત્‍વકાંક્ષી યોજનાના કેન્‍દ્રીય મંત્રી શ્રી મહેન્‍દ્રનાથ પાંડેજી અને રાજયકક્ષાના મંત્રી શ્રી રાજકુમાર સિંદ્યજી ની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં યોજાયેલા PMKVY 3.0 ના લોકાર્પણ કાર્યક્રમમાં સંસદસભ્‍ય  પૂનમબેન માડમ ખાસᅠ હાજર રહ્યા હતા.

આ તકે પૂનમબેન માડમ એ જણાવ્‍યુ હતુ કે વર્ષ ૨૦૧૫ સુધી પીએમકેવીવાયᅠ ૧.૦ અમલમા હતી જે ટ્રાયલ બેઝ હતો બાદમાં ૨૦૧૫ થી ૨૦૨૦ પીએમકેવીવાય ૨.૦ અંતર્ગતᅠ ᅠસપ્‍લાય આધારીત પ્‍લેસમેન્‍ટ તાલીમ નો તબક્કો હતો હવે ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીના પીએમકેવીવાય ૩.૦ નુ તારીખ ૧૫ ને શુક્રવારે લોંચીગ થયુ છે જે ડીમાન્‍ડ આધારીત પ્‍લેસમેન્‍ટ તાલીમ નો તબક્કો છે કેન્‍દ્રસરકારશ્રીએ તબક્કાવાર ના ફેઝ મા ક્રાંતિકારી પરિવર્તનો કરી સુધારાઓ અમલમાં મુકી આ યોજના ખુબજ અસરકારક બનાવી છે અને વિનામુલ્‍યે દેશભરના બેરોજગારો જેમને ભલે ઓછો અભ્‍યાસ કર્યો હોય તેમને પણ રોજગાર માટે બેસ્‍ટ ટ્રેનીંગ થીયરી અને પ્રેક્‍ટીકલ બંને આપી ખરા અર્થમા યુવાનોને કૌશલ્‍યવાન બનાવવા દરેક જિલ્લામા કેન્‍દ્રો કાર્યરત કર્યા છે જેમા જામનગર જિલ્લામા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા પણ આ કેન્‍દ્રો કાર્યરત છે તેમજ જામનગર મા અત્‍યાર સુધી ૪૦૦૦ યુવા ભાઇઓ બહેનો એ તાલીમ લીધી છે અને ૨૮૦૦ થી વધુ નુ પ્‍લેસમેન્‍ટ થયુ છે.

આ કેન્‍દ્ર પરની કાર્યવાહીનીᅠ તાલીમᅠ પદ્વતિની તેમજ કૌશલ્‍ય મેળવતા યુવાનો સાતે સંવાદ થીᅠ વિગતો મેળવી સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ સૌ ને પ્રોત્‍સાહીત કરી કેન્‍દ્રસરકારશ્રીની આ યોજના રોજગાર ક્ષેત્રે વધુ અસરકારક અને ઉપયોગી બને તેવુ માર્ગદર્શન અને પ્રેરણા પુરા પાડ્‍યા હતા.

(1:07 pm IST)