દાડીયા ગામના કિશોરભાઇને હોસ્પિટલમાંથી રજા અપાઇ, ઘરે જતી વખતે ફરી બેભાનઃ મોત
રાજકોટ તા. ૧૬: ગોંડલના દાડીયા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં કિશોરભાઇ ઘેલાભાઇ ગુજરાતી (ઉ.વ.૩૦) નામના યુવાનની તબિયત બગડી હોઇ ગત સાંજે છએક વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાતે સારું થતાં હોસ્પિટલમાંથી રજા અપાતાં અગિયારેક વાગ્યે પરિવારજનો તેને રિક્ષામાં બેસાડી દાડીયા ગામે જતાં હતાં ત્યારે ગોંડલ રોડ ચોકડી પાસે પહોંચતા ફરીથી તબિતય બગડતાં ફરીવાર સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાબડે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કિશોરભાઇ ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
વાલાસણમાં સ્ટાર્ટરમાંથી કરંટ લાગતાં ગિરીશભાઇ દાઝ્યા
જામજોધપુરના વાલાસણ ગામે રહેતાં ગિરીશભાઇ વાલજીભાઇ કાલરીયા (ઉ.૪૮) વાડીએ મોટર ચાલુ કરવા જતાં સ્ટાર્ટરમાંથી કરંટ લાગતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.