સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th February 2021

મોરબી એબીવીપી દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી

મોરબી :  શહીદ થયેલા ભારતના વીર જવાનોને મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા સૈનિકોને પુષ્પ અર્પણ તેમજ કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ઘાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ વીરગતિ પામેલા શહીદોના આત્માને શાંતિ અર્થે મૌન પાડવામાં આવ્યું હતું. તેમજ વીર જવાનો અમર રહોનો નાદ પોકારવામાં આવ્યો હતો. શહીદોને પુષ્પાંજલી અર્પણ કરાઇ તે તસ્વીર.

(1:01 pm IST)