News of Sunday, 16th May 2021
દરિયાની વચ્ચે આવેલ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ ખાતે કાચા ઘરોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા
અમરેલી ::: જિલ્લામાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને પગલે જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ ખાતે કાચા ઘરોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળ બેટ ટાપુ દરિયાની વચ્ચે આવેલ છે ત્યાં લાઈટની પણ વ્યવસ્થા ન હતી થોડા સમય પહેલા જ લાઈટની સુવિધા આપવામાં આવી છે.
(4:44 pm IST)