News of Thursday, 16th June 2022
કોડીનાર પંથકની સગીરાના દુષ્કર્મના બનાવને બાર એસો.એ વખોડી કાઢયો
રાજકોટ-કોડીનાર બારના વકીલ મંડળનો ઠરાવ
રાજકોટ,તા. ૧૬ : રાજકોટ બાર એસોસીએશન દ્વારા સરકયુલર ઠરાવ કરી ઠરાવવામાં આવે છે કે, કોડીનાર તાલુકાના એક ગામે સગીર -૮ વર્ષની બાળા ઉપર થયેલ દુષ્કર્મ અને ગળુ દબાવી હત્યા નિપજાવનાર આરોપી શામજી ભીમા સોલંકીના આ સમાજ વિરોધી અધમ કૃત્યને રાજકોટ બાર એસોસીએશનના સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને વધુમાં ઠરાવે છે કે આ કામમાં આવા અસામાજીક તત્વને નશીઅત પહોંચાડવા માટે રાજકોટ બાર એસોસીએશન તથા સૌરાષ્ટ્રના તમામ બાર એસોસીએશનમાંથી આ કામમાં આરોપીઓની તરફેણમાં કોઇ વકીલશ્રીઓએ રોકાવવું નહીં તેવો અનુરોધ રાજકોટ બાર એસોસીએશનના તમામ હોદેદારો તથા તમામ કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવે છે. આવો જ ઠરાવ કેશોદ બાર એસો. દ્વારા પણ કરવામાં આવેલ છે.
(10:42 am IST)