સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

જામનગરના વાયુનગરમાં વીજળી પડતા ભરત ભાટીયા નામના તરુણનું કરૂણમોત

108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી પરંતુ તરુણોનું વીજળી પડતા ઘટનાસ્થળે જ મૃત્યુ

જામનગર શહેરના વાયુ નગરમાં વીજળી પડતાં ભરત ગોગનભાઈ ભાટીયા નામના ના 14 વર્ષીય તરુણનું મૃત્યુ નિપજયું છે. જામનગર શહેરના વાયુ નગર વિસ્તારમાં વિજળી પડવાની ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ કમનસીબે તરુણોનું વીજળીના પડવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(7:26 pm IST)