થાન શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઉંટગાડા રેલી કઢાઇ
વઢવાણ : દેશમાં મોંદ્યવારી રાજાના કુંવરની જેમ દિવસે ન વધે તેટલી રાતે, રાતે ન વધે તેટલી દિવસે વધી રહી છે. આમ જનતા ભારત સરકારની મોંદ્યવારી વધારવા ની નીતિથી આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. મધ્યમ વર્ગને દાળ રોટલી ખાવી પણ મુશ્કેલ થઈ પડી છે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ, જીવન જરૂરી દવાઓ, દાળ, ખાંડ, ચોખા સહિતની વાસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા હોય આમ જનતાની લાગણી અને મોંદ્યવારીને કાબુમાં લેવાની માંગ સાથે થાન પંથકના કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગત આગેવાનો સુભાષભાઈ શાહ બેચરભાઈ સોલંકી બાબુલાલ પારધી તથા કાર્યકરો દ્વારા બેનરો અને નારા સાથે ઉંટગાડામાં આંબેડકર ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદાર હેમંતસિંહ ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.