વાંકાનેર હાઇવે પાસે ભાટિયા સોસાયટીના નાલા નજીક કાયમ પાણી ભરાયેલું રહેતા લોકો પરેશાન
નાલા પાસે કચરાના ઢગલા પડ્યાં હોવાથી રોગચાળાનો ભય
વાંકાનેર,તા.૧૬ : વાંકાનેરમાં હાઇવે નજીક ભાટિયા સોસાયટીના નાલા પાસે માત્ર થોડો વરસાદ થાય ત્યાં કેટલા બધા દિવસ પાણી અહીંયા ભરેલું રહે છે, કાયમ માટે આ નાલામાં ગંધારૂ પાણી ભર્યું રહે છે, આ જગ્યાએથી વાંકાનેર ભાટિયા સોસાયટી ના પ્રજાજનોને અહીંયાથી જ નીકળવાનું હોય ખુબ જ મુશ્કેલી પડે છે, તેમજ આ નાલા પાસે થી વાંકાનેર શહેર ના પ્રજાજનોની પણ ખુબ જ અવર જવર રહે છે, આ ઉપરાંત નાલા પાસે કચરા નો મોટો જથ્થો અહીંયા છે, અહીંયા ખુબ જ કચરો હોવાથી રોગચાળાનો પણ ભય રહે, આ નાલા પાસે ઘણા સમયથી ખરાબ પાણી ભરાયેલુ રહે છે, હમણાં થોડા દિવસ પહેલા જ પ્રજાજનો દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ હતું, આ નાલામાં પાણી ભરાયેલું રહે છે એનો કાયમી નિકાલ કરવા આ વિસ્તારના પ્રજાજનોની માંગણી ઉઠેલ છે.