સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

''હું કેનાલમાં આપઘાત કરૂ છું'' તેવો ઓડિયો મોકલીને દુધરેજ કેનાલમાં યુવતિએ ઝંપલાવ્યું ?

સોનલ ગઢવીની ફાયરબ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ :  ''હું કેનાલમાં આપઘાત કરૂ છું.'' તેવો મોબાઇલથી મેસેજ મોકલ્યા બાદ સુરેન્દ્રનગરના દુધરેજ કેનાલમાં યુવતિની શોધખોળ હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર શહેરના ગઢવી સમાજ ના સોનલબેન જેમને પોતાના પરિવારને ઓડિયો કિલપ મોકલી અને પોતે કેનાલ માં આત્મહત્યા કરે છે તેવું જણાવી અને ઓડિયો કિલપિંગ બંધ કરી દેવામાં આવતા હાલમાં તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શહેરના ફાયર ફાઈટર વિભાગના તેમજ ગેરેજ સમિતિના છત્રપાલ સિંહ ઝાલા સહિતની ટીમ હાલમાં કેનાલ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં શોધખોળ ચાલુ છે.  આ કેનાલમાં વારંવાર આપઘાતના બનાવો બની રહ્યા છે. ત્યારે સોનલબેન ગઢવીએ ઓડિયો મેસેજ મોકલ્યા બાદ ગુમ થવા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:41 am IST)