News of Monday, 16th November 2020
દિવાળી પર્વમા જૂનાગઢમાં ૩ અને કેશોદમાં ૧ અપમૃત્યુના બનાવ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:::દિવાળી પર્વમા જૂનાગઢમાં ૩ અને કેશોદમાં ૧ અપમૃત્યુનો બનાવ બન્યો છે.
જૂનાગઢનાં અશોક જમનદાસ મકવાણા(ઉ.૪૦)નું ઝેરી દવા ગટગટાવી લેવાથી તથા અમીનાબેન યુસુફ મહિડા-(ઉ.૬૭)નું એસિડ પીવાથી અને આણદપુરના રેખાબેન પ્રવિણ બગડા-(ઉ.૫૦)નું ગળાંફાંસો ખાવાથી તેમજ કેશોદના મોટી ઘસારીના પરસોતમ હેમરાજ મારૂ(ઉ.૪૫)નુ ઝેરી દવા ગટગટાવી લેવાથી મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી.
(11:22 am IST)