સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા સાથે ઠંડક : નલીયા ૧૦.૫ ડિગ્રી
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો : બપોરે ગરમી યથાવત
રાજકોટ,તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામવા લાગ્યો છે. આજે કચ્છના નલીયામાં સૌથી વધુ ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જ્યારે રાજકોટમાં ૧૭, અમરેલીમાં ૧૯, અમદાવાદમાં ૧૮.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જો કે ફકત મોડી રાત્રીના અને વહેલી સવારે પવનના સુસવાટા સાથે ઠંડકની અસર વર્તાઇ રહી છે.
સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ -જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ઉનાળા જેવું વાતાવરણ અનુભવાય છે.
ક્યાં કેટલી ઠંડી
શહેર લઘુત્તમ તાપમાન
અમદાવાદ ૧૮.૧ ડિગ્રી
અમરેલી ૧૯.૦ ,,
વડોદરા ૧૭.૮ ,,
ભાવનગર ૨૦.૩ ,,
ભુજ ૧૬.૦ ,,
દમણ ૨૨.૬ ''
ડીસા ૧૩.૪ ,,
દીવ ૨૦.૮ ,,
દ્વારકા ૧૮.૮ ,,
કંડલા ૧૭.૬ ''
નલીયા ૧૦.૫ ,,
ઓખા ૨૨.૨ ,,
પોરબંદર ૧૭.૪ ,,
રાજકોટ ૧૭.૦ ,,
વેરાવળ ૨૨.૬ ''
સુરત ૨૧.૮ ,,