News of Tuesday, 16th November 2021
ઉપલેટામાં તળાજાના મામા-ફઇના ભાઇઓ અજય અને ભગવાનજી પર બનેવીનો હુમલો
ભગવાનજીની બહેનના છુટાછેડા થઇ ગયા હોઇ ખાર રાખી નારણ છરીથી તૂટી પડયો
રાજકોટ તા. ૧૬: ઉપલેટામાં રેલ્વે સ્ટેશન બહાર મીલ પાસે ભાવનરગના તળાજાના મારવાડી યુવાન ભગવાનજી દેવાભાઇ રાઠોડ (ઉ.૨૪) અને તેના મામાના દિકરા અજય રાજુભાઇ વાઘેલા (ઉ.૨૨) પર ભગવાનજીના બનેવી નારણ ધુડા મારવાડીએ છરીથી હુમલો કરી અજયને છાતીમાં અને ભગવાનજીને ખભા પર ઘા ઝીંકી દેતાં બંનેને ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી. ભગવાનજીના કહેવા મુજબ તેની બહેનના લગ્ન નારણ ધુડા સાથે થયા હતાં. પણ થોડા સમય પહેલા છુટાછેડા થઇ ગયા હોઇ તે બાબતે મનદુઃખ ચાલતું હતું.
પોતે ઉપલેટા કામ સબબ આવ્યા હોઇ નારણ ત્યાં રસ્તામાં મળી જતાં અગાઉની ખાર રાખી છરીથી હુમલો કર્યો હતો.
(11:04 am IST)