સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

ભાવનગરમાં ૩૦ કબુતરના મૃતદેહ મળ્યાઃ કોઇએ મારીને ફેંકી દીધાની ચર્ચા

(મેઘના વિપુલ હિરાણી  દ્વારા) ભાવનગર તા.૧૬ : ભાવનગરના પીલગાર્ડન પાસે ૩૦ જેટલા કબુતર મૃત હાલતે મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યોહતો.

ભાવનગરના પીલ ગાર્ડન, શંકરસુવન હનુમાનજી મંદિર નજીક ૩૦ જેટલા કબુતર મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો હતો. કબુતરોને મારીને કોઇ આ સ્થળે ફેંકી ગયા હોવાનું અનુમાન છે.

આ અંગે જીવદયા પ્રેમી હરિભાઇ શાહે માહિતી આપી હતી. આ ઘટનાની તપાસ થવી જોઇએ તેમ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું.

(11:13 am IST)