ઉનાના મોઠામાં હત્યાના એકને ર દિવસના -અન્ય ર આરોપીઓની રીમાન્ડ નામંજૂર
(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૬ :.. તાલુકાનાં મોઠા ગામે ગરાળ ગામનાં દરબાર યુવાનની હત્યાનાં ૩ આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૧ આરોપીને ર દિવસની રીમાન્ડ મંજૂર કરી છે અન્ય ર આરોપીઓની રિમાન્ડ નામંજૂર કરતા બન્નેને જેલ હવાલે કરેલ છે.
મોઠા ગામે માતાજીનાં માંડવા પ્રસંગે ગરાળ ગામનાં પરપાલસિંહ અખુભા વાળા (ઉ.વ.રર) ની ઉપર બે મોઠા ગામનાં એક સાંઢણીધાર તા. કોડીનાર વાળાએ છરીના ઘા મારી હત્યા કરી નાખ્યાની પોલીસ ફરીયાદ મરણ જનારનાં કાકા મંગુભા ઉર્ફે મંગળસિંહ રૂપસંગ વાળા રે. ગરાળવાળાને નોંધાવતા ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ ગણતરીના કલાકોમાં આરોપી ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, (ર) સંજયસિંહ જશાભાઇ પરમાર રે. મોઠા તા. ઉના (૩) મહિપતસિંહ મનુભાઇ ગોહીલ રે. સાંઢણીધાર તા. કોડીનાર વાળાને પકડી પાડી કોવીડ ટેસ્ટ કરવી ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરેલ.
કોર્ટે આરોપી મહિપતસિંહ મનુભાઇ ગોહીલ રે. સાંઢણીધારવાળાની બે દિવસની રીમાન્ડ મંજૂર કરી હતી. જયારે ચિરાગસિંહ અને સંજયસિંહની રીમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલમાં મોકલી આપેલ છે. પોલીસે હત્યામાં વપરાયેલ છરી કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.