સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

જુનાગઢ બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરે અભિષેક કરતા મુખ્યમંત્રી

જુનાગઢઃ મુ.મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલએ બીએપીએસ અક્ષર મંદિર ખાતે આવી પહોંચતા પુ.શ્રીજીપ્રકાશ સ્વામી પુ.ધર્મવિનયસ્વામી પુ.જ્ઞાનરત્ન સ્વામી પુ. નિત્યમંગલ સ્વામી પુ.સેવામુર્તી સ્વામી પુ. જ્ઞાનવર્ધન સ્વામી પુ.આદર્શપ્રિય સ્વામી પુ.ગુરૂપ્રેમ સ્વામી પુ.અમૃતદર્શન સ્વામી પુ.ભકિતચિંતન સ્વામીએ આવકાર્યા હતા અને બાદમાં ફુલહાર પહેરાવી સન્માન કર્યુ હતું. અને ભુપેન્દ્રભાઇ પટેલએ મંદિરમાં જઇ સ્વામીનારાયણ ભગવાન તેમજ પુ.ગુણાતીતાનંદ સ્વામીની મુર્તીના દર્શન કરી નિલકંઠવણીનો અભિષેક કર્યો હતો. અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(11:29 am IST)