સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા કોંગ્રસે ખંડિત કરી

હિન્દુ સેનાએ મહાત્મા ગાંધીજીની હત્યા કરનારાની પ્રતિમા મુકતા વિવાદ સર્જાયો

પ્રથમ તસ્વીરમાં હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મુકી તે બીજી તસ્વીરમાં  હિન્દુ સેનાના અગ્રણી તથા ત્રીજી અને ચોથી તસ્વીરમાં કોંગ્રેસે પ્રતિમા ખંડિત કરી તે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર) (૯.૪)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ : જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેના પુણ્યતિથિ નિમિત્તે મહાત્મા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચાર  કરેલ હતા. ગોડસેજીનાં મૃત્યુ બાદ પણ ન મારા થા, ન મરેગા,  સદીઓ તક જિંદા રહેગા નાં  સૂત્રને સાર્થક કરવા હિન્દુ સેનાના સૈનિકો એકત્રિત થયા હતા, ૮ સપ્ટેમ્બર ૨૦૨૧ નાં રોજ હિન્દુ સેનાની અગત્યની બેઠક મળેલી જેમાં ૧૫ નવેમ્બર ૨૦૨૧નાં રોજ ગોડસેજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવા ધનને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવું પડે કે ફાસી નાં માચડે ચડવું પડે તો પણ ખચકાવું નહિ તેવો સંદેશો આપ્યો હતો. વર્તમાન યુગ માં યુંવાઓ દબાયેલા છે પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ને જગાડવા માટે ગોડસેજી પ્રેરણા રૂપ બનશે. એટલુ જ નહિ યુવાઓમાં જોમ , જુશો અને રાષ્ટ્ર, ધર્મ પ્રત્યેની જાગૃતતા લાવવા આયોજન થયેલ હતું.

ગોડસેજીની પ્રતિમાને લઇ અનેક બાદ વિવાદો થયા હતા, વિધ્નો આવ્યા હતા, તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ જગ્યા ન ફાળવાતા અને લેખિતમાં કોઈ જવાબ ન મળતાં આ મારી જગ્યા માં ગોડસેજીની પ્રતિમ સ્થાપિત કરી હતી, પરંતુ તંત્ર પાસે અમારી જાહેરમાં પ્રતિમા બેસાડવાની માંગણી કાયમી રહેશે, આ  કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપત બાપુની ખાસ હાજરીમાં હિન્દુ સેના સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલના માર્ગદર્શનથી શહેરના હિન્દુ સેના પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ દેવ આંબલીયા, ભાવેશ ઠુંમર, મયુર ચંદન, ધીરેન નંદા, જયેશ પિલ્લાઈ, પાર્થ ચોવતિયા, પૃથ્વી વાઢેર, જીમી ભરડવા, દિનેશ કેશવાલા, જતીન ઠાકોર, અર્જુન, રામુ, વાશુ વગેરે સૈનિકોની ઉપસ્થિતિમાં નાથુરામ ગોડસે જીની પ્રતિમા ૧૫ નવેમ્બર ૨૦૨૧નાં દરબારગઢ પાછળ દુધિયા હનુમાન આશ્રમ ખાતે પ્રસ્થાપિત કરી હતી.

જામનગરમાં હિન્દુ સેના દ્વારા કાલે કાલાવડ નાકા બહાર મોરકંડા વિસ્તારમાં આવેલા સ્થળે નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી હતી. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા મુકાતા કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોંગ્રેસી કાર્યકરોએ આ સ્થળે પ્રતિમાને ખંડિત કરી પોતાનો વિરોધ વ્યકત કર્યો છે.

(11:52 am IST)