મોરબીના લાલપર ગામે આંબેડકર કોમ્યુનિટી હોલનું ઉદઘાટન
મોરબી,તા.૧૬ : મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનંુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી રૂ ૫ લાખના ખર્ચે કોમ્યુનીટી હોલનું નિર્માણ કરાયું હોય જે નિર્માણ કાર્ય પૂર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો. આંબેડકર કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે સ્થળે ડો. આંબેડકરની પ્રતિમાનુ અનાવરણ પુષ્પ માળા પહેરાવી કરવામા આવ્યુ હતું.
જે પ્રસંગે મોહનભાઈ કુંડારિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંધારણના ઘડવૈયા બાબાસાહેબની સ્મૃતિ માટે ભારતમા જુદી જુદી જગ્યાને પંચતિર્થ તરીકે વિકસાવવામાં આવે તથા ડો. આંબેડકરના જીવનમાથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને જીવનમા ઉતારીએ એવી અપીલ કરી હતી.
ઉદઘાટન સમારોહમાં જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઇ ટમારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, સિરામિક એસો પ્રમુખ નિલેશ જેતપરીયા સરપંચ શારદાબેન રમેશભાઇ વાસદડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.