સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

ગિરનાર રોપ-વે બે દિવસ બંધ રહેશે

મેઇન્ટેન્સને લઇ સેવા બંધ રહેશે

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૬ : ગિરનાર રોપ-વે બે દિવસ માટે બંધ રહેશે.

ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ શ્રી દિપક કપલીસે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, પ્રથમ વાર્ષિક મેઇન્ટેન્સને લઇ ગિરનાર રોપ-વે માટે બે દિવસ શટડાઉનનો નિર્ણય લેવામાં આવેલ છે.

જે મુજબ આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ ગિરનાર રોપ-વે બંધ રહેશે. આ બે દિવસ દરમિયાન ગિરનાર રોપ-વેનું જરૂરી મેઇન્ટેનન્સ કરવામાં આવશે.

આ કામગીરી પૂર્ણ થયેથી તા. ૨૬ નવેમ્બરની સવારના સાત વાગ્યાથી ગિરનાર રોપ-વેની સેવા રાબેતા મુજબ શરૂ થશે તેમ તેઓએ જણાવ્યું હતું.

(12:54 pm IST)