સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th January 2022

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ : કલાત્મક રેત શિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત

 વેરાવળ-પ્રભાસ પાટણ : પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પોનો માધ્યમથી પ્લાસ્ટિક મુકત ભારત, વેકસીનેશન અભિયાન, કોરોના સામે જાગૃતિ, સહિતના સામાજિક જાગૃતિના સંદેશ આપવામાં આવ્યાં છે. સાથે જ સૈન્ય દિવસની ઉજવણી પર વીર સૈનિકો અને સરદાર પટેલના પણ રેતશિલ્પનું નિર્માણ કરાયું હતું. ગુજરાત રાજય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી,ગીર સોમનાથ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ-વેરાવળ)

(10:53 am IST)