અમરાપુર ખાતે તળપદા કોળી સમાજનો ૨૧માં સમૂહ લગ્નોત્સવમાં ૨૯ નવયુગલોના પ્રભુતામાં પગલા
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૭: જસદણ વિછીયા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સોશિયલ ડીસ્ટન્સ અને સરકારશ્રીની ગાઈડ લાઈનનુ ચુસ્તપણે અનુસરી સમૂહલગ્ન યોજાયો હતો જેમાં જેમાં ૩૯ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા.
ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શન હેઠળ આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નવયુગલોને સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ દ્વારા દરેક પ્રકારની ભેટ-સોગાદો આપવામાં આવી હતી દરેક કન્યાઓને વિછીયા તાલુકા અખીલ ભારતીય કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ દ્વારા દરેક કન્યાઓને 'શિક્ષાપત્રી' આપવામાં આવી હતી આ તકે સમૂહ લગ્ન સમારોહમાં સમાજ અગ્રણી આંબાભાઈ ઓળકિયા સુરેશભાઈ ધરજીયા નાગરભાઇ જીડીયા જેસાભાઈ સોલંકી પ્રેમજીભાઈ રાજપરા કડવાભાઇ જોગરાજીયા ખોડાભાઈ ખસિયા મનસુખભાઈ જાદવ વગેરે ખાસ હાજર રહ્યા હતા.
સફળ બનાવવા દેવશીભાઇ મુખી શામજીભાઈ ધોરીયા કેશુભાઈ કુમરખાણીયા દેવરાજભાઇ ગઢાદરા વલભભાઈ રાજપરા તેમજ અમરાપુર શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો શાળાના શિક્ષકો વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન જયંતીભાઈ રાજપરાએ કર્યું હતું.