સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરે દિપમાળા

વાંંકાનેરઃ સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ શ્રી ગાયત્રી મંદિર ખાતે મહંત અશ્વીનભાઇ રાવલના માર્ગદર્શન હેઠળ તા.૧૬ના મંગળવારના રોજ શ્રી ગુરૂદેવશ્રીનો આધ્યાત્મીક જન્મદિવસ તથા વસંતપંચમી નિમિતે શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર ખાતે સાંજના ધુન, ભજન, સંકીર્તન તેમજ સાંજે આરતીમાં દીપમાળાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જે આ દિવ્ય પાવન પુણ્યશાળી પર્વે શ્રી ગાયત્રી પરીવારના સભ્યો, ભાઇઓ, બહેનો હાજર રહી ધર્મ લાભ લીધેલ હતો. (તસ્વીરઃ અહેવાલઃ હિતેશ રાચ્છ-વાંકાનેર)

(1:00 pm IST)