સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ત્રણના મોત અને ૨૬૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૫૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૯,૬૭૫ કેસો પૈકી ૪,૦૮૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૨૬૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૯,૬૭૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૯૯ પુરૂષ અને ૬૧ સ્ત્રી મળી કુલ ૧૬૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૨૨, ઘોઘા તાલુકામાં ૨૦, તળાજા તાલુકામાં ૧૬, મહુવા તાલુકામાં ૧૩, સિહોર તાલુકાઓમાં ૨૨, પાલીતાણા તાલુકામાં ૬, વલ્લભીપુર તાલુકામાં ૫, ઉમરાળા તાલુકામાં ૩, ગારીયાધાર તાલુકામાં ૧ તેમજ જેસર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૧૦૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને તળાજા તાલુકાનાં કેરાળા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૬૧ અને તાલુકાઓમાં ૯૬ કેસ મળી કુલ ૩૫૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૯,૬૭૫ કેસ પૈકી હાલ ૪,૦૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૫૫ દર્દીઓનુ અવસાન થયેલ છે

(8:15 pm IST)