ગોંડલમાં રકતદાન કેમ્પ
ગોંડલ : શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલ દ્વારા થેલેસેમિયાના બાળકો, કેન્સર, કિડની, કોવિડ-૧૯ ના દર્દીઓને તથા જરૂરિયાતમંદ દર્દીઓને આકસ્મિક સમયે રકતની અછત ઉભી થતી હોવાથી ભવ્ય રકતદાન કેમ્પ અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન તારીખ ૧૬.૦૫.૨૦૨૧ રવિવાર સમય સવારે ૧૦.૦૦ કલાકે સ્થળ રાજપૂત સમાજ ભવન યુનિટ-૧, લાલપુલ પાસે, કાશી વિશ્વનાથ રોડ, ગોંડલ ખાતે કરવામાં આવેલ. આ કેમ્પમાં શ્રી જયોતિરાદિત્યસિંહજી જયરાજસિંહજી જાડેજા, શ્રી શીતલબેન કોટડીયા પ્રમુખશ્રી ગોંડલ નગરપાલિકા, શ્રી ઋષિરાજસિંહ જાડેજા કારોબારી ચેરમેનશ્રી ગોંડલ નગરપાલિકા, શ્રી મયુરસિંહ જાડેજા કારોબારી ચેરમેનશ્રી તાલુકા પંચાયત ગોંડલ, શ્રી ઓમદેવસિંહ જાડેજા ડિરેકટરશ્રી નાગરીક બેંક ગોંડલ, શ્રી કનકસિંહ જાડેજા વાઇસ ચેરમેનશ્રી માર્કેટીંગયાર્ડ ગોંડલ, રાજપૂત સમાજની ચારેય સંસ્થાના પ્રમુખશ્રી તથા કારોબારી સભ્યોશ્રી તેમજ વડીલશ્રીઓ, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કુલ ૮૧ રકતદાતાશ્રીઓ દ્રારા રકતદાન કરવામાં આવેલ. ૨૧ યુવાનો દ્રારા પ્રથમ વખત રકતદાન કરવામાં આવેલ. રકતદાતાશ્રીઓને શ્રી જયોતિરાદિત્યસિંહજી જયરાજસિંહજી જાડેજા તરફથી આકર્ષક ભેટ તથા બ્લડ બેંક તરફથી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. રકતદાન કેમ્પને સફળ બનાવવા શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલના કારોબારી સભ્યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)