સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ભાણવડના વાનાવડ ગામ પાસે તળાવ સૂકાતા મગર ખેડૂતના ખેતરે જઇ ચડયો!!

એનિમલ લવર્સ ગ્રુપએ રેસ્કયુ કર્યુ

ખંભાળીયા તા. ૧૭ :.. ભાણવડ પંથકના વાનાવડ ગામ પાસે  તળાવમાં એક મગર રહેતો હતો. ઉનાળાના તાપમાં આ તળાવનું બધુ પાણી સૂકાઇ જતાં એક મગર તેમાં રહેતો હતો તે ત્યાંથી નીકળીને ચાલતો બાજુના ખેડૂતના ખેતરે પહોંચતો ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ હતી.

આ અંગે ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરાતા તેમણે તુરત જ ઘટના સ્થળે પહોંચીને મગરનું સફળ રેસ્કયુ કરી તે તેને એક તળાવમાં પહોંચાડી દીધો હતો.

રોજ સાપ પકડનાર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા મગરનું પણ રેસ્કયુ કરાયું હતું.

(12:57 pm IST)