કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે આધેડ પર શસસ્ત્ર હુમલો
અગાઉની શંકા રાખી છ શખ્સો તુટી પડયા વચ્ચે પડેલા યુવકને તલવાર ઝીંકી
ખંભાળિયા તા.૧૭ : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા વેજાભાઇ ભીખુભાઇ મોઢવાડીયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં સંજય દેવશી ઓડેદરા, આશિષ દેવશી ઓડેદરા અને દિલીપ જીવા ગોઢાણીયા અને તેના ત્રણ સાગરીતોના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યું છે કે બસ સ્ટેન્ડ સર્કલ પાસે હુ હતો ત્યારે સંજય દેવશી ઓડેદરા, આષિ દેવશી ઓડેદરા અને દિલીપ જીવા ગોઢાણીયા તેમજ તેના ત્રણ માણસો તલવાર, કુહાડીઓ સાથે ધસી આવી જીવલેણ હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા વણધા વિસા મોઢવાડીયાને તલવારનો ઘા મારતાં બંન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. આ સાથે મારી પાસે સ્વરક્ષણમાં રહેલી ૩ર બોર રિવોલ્વર અને પાક રક્ષણ માટેની ડબલ બેરલની ગન લુંટી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતાં. બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ફરિયાદી વેજાભાઇ ભીખુભાઇ મોઢવાડીયાની ફરિયાદ પરથી ઉપરોકત શખ્સો વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩ર૩, ૩ર૪, ૩રપ, પ૦૪, પ૦૬ (ર) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં સંજય દેવશી ઓડદરા અને તેના ભાઇ આશિષ દેવશી ઓડેદરાના મામાએ આજથી બે વર્ષ પહેલા ઝેરી દવા પી આપઘાત કરેલ હોય તેની શંકા રાખી શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહયુ છે. જયારે સામાપક્ષે આશિષ દેવશી ઓડેદરાએ વેજા ભીખુ મોઢવાડીયા, વઘણા વિષુ મોઢવાડીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, અગાઉના મનદુફખનો ખાર રાખી બંન્ને શખ્સોએ ગાળા ગાળી કરી બંદુકનો જોટાનો કુંદો માથાના ભાગે મારતા ઇજા થઇ હતી. પોલીસે બંન્ને પક્ષની ફરિયાદ પરથી શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એફ.બી.ગગનીયા ચલાવી રહયા છે.