સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ધોરાજી સીપીઆઇ તરીકે જે.બી. કરમુર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. જેતપુરના સીટી પીઆઇ શ્રી જે. બી. કરમુરની ધોરાજી સર્કલ પોલીસ ઇન્સ. તરીકે નિમણુક કરવામાં આવેલ છે.

શ્રી જે. બી. કરમુર કડક અધિકારીની છાપ ધરાવે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરતા નથી તેમજ શેહશરમ રાખતા નથી તેઓ અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનમાં તેમજ એસઓજીમાં અને કેશોદ પોલીસ સ્ટેશનમાં અને પોરબંદર જીલ્લામાં પણ ફરજ બજાવી ચૂકયા છે. તાજેતરમાં રૂરલ એસ. પી. દ્વારા તેઓની જેતપુર સીટી પીઆઇમાંથી બદલી કરી ધોરાજી સીપીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે. કડક અને શિસ્તના આગ્રણી એવા  પોલીસ બેડામાં સિંઘમની છાપ ધરાવતા શ્રી કરમુરની નિમણુંક ધોરાજી સીપીઆઇ તરીકે થતા અસામાજીક તત્વો પોતાની માયાજાળ સંકેલવા લાગ્યા છે.

(1:01 pm IST)