સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

જામનગર-જિલ્લામાંથી ર હજાર લોકોનું ર૩ર આશ્રય સ્થાનોમાં સ્થળાંતર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ : જામનગર શહેર અને જીલ્લાના ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે.  ૨૩ ગામોના ૨૦૦૦ લોકોને ૨૩૨ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરાયા છે. એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડબાય છે. સંભવિત તૌકતે વાવાઝોડા ને પગલે જામનગર તંત્ર એલર્ટ જામનગર ના તમામ બંદરો પર ૮ નંબર નું સિગ્નલ લગાવ્યું છે. અતિભયજનક સુચવતું ૮ નંબર નું સિગ્નલ લગાવાયું દરિયાઈકાંઠા નજીક ના વિસ્તારો ને એલર્ટ રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા તંત્રની સૂચના છે. ચેલા ગામમાંથી પણ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે.

(1:39 pm IST)