સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

નેરાણાધામના પુતિઆઇને શ્રધ્ધાંજલી અર્પતા પુ. ઇન્દ્રભારતીબાપુ અને કાંધલ જાડેજા

જુનાગઢ : પોરબંદરના નેરાણાધામના પુતિઆઇ શનિવારે દેવલોક પામ્યા છે. સાત દાયકાથી ભજન ભોજનની આહલેક જગાવી તેમની ચિરવિદાયથી પોરબંદર પંથકમાં શોક છવાયો છે. મઢડાવાળા સોનલમાંના પરમ ઉપાસક એવા રાણાવાવના નેરાણાધામના પુતિઆઇએ નેરાણા ગામે ૧૧૧૧ દિકરીઓના સમુહલગ્ન કરાવ્યા હતા. પુતિઆઇ કોરોનાથી સંક્રમિત થતા તેઓને પોરબંદર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર અર્થે જામનગર અને ત્યાંથી અમદાવાદ લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. નેરાણાધામ ખાતે તેમની અંતિમવિધીમાં જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત પુ. ઇન્દ્રભારતીબાપુ તેમજ ધારાસભ્ય કાંધલ જાડેજા લખનભાઇ ઓડેદરા સહીતનાએ તેમના નશ્વર દેહને શ્રધ્ધાંજલી આપી અંતિમ સંસ્કાર વિધિમાં જોડાય અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જામનગર)

(1:41 pm IST)