સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

મોરબી માં હવામાન ખાતાની વાવાઝોડાની આગાહીના અગમચેતીના પગલારૂપે દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના

મોરબી માં હવામાન ખાતાની વાવાઝોડાની આગાહીના અગમચેતીના પગલારૂપે દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે

(૧) પોતાની ચાલતી બાંધકામ સાઈટ પરના મજુરો ને સલામત સ્થળે રાખવાની વ્યવસ્થા ત્વરીત કરવી.
(૨) સાઈટ પરના મસમોટા હોડીંગ તાત્કાલિક ઊતારી લેવા.
(૩) સાઈટ પર ના પતરા,ત્રાપા,ટેકા જેવા સામાન કે જેના થી નુકસાન થાય તેવો સામાન ઊડે નહી તેની તકેદારી રાખવી.
(૪) વહીવટી તંત્ર ની જરૂર જણાય ત્યાં સબંઘીત અધિકારી નો સંપર્ક કરવો.
કોઈ બિલ્ડરો દ્વારા સલામત સ્થળ ની વ્યવસ્થા ન હોય તો નીચેના નંબરો પર કોન્ટેકટ કરવા.

ભરતભાઈ બોપલીયા 9825141569 ભાવેશભાઇ કંઝારીયા 8000088880

(6:25 pm IST)