સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

માળિયા તાલુકાના વર્ષામેડી ગામે શ્રી રામ ગ્રુપ ઓફ કંપની દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયા

મોરબી : સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માળિયા તાલુકામાં દરિયા કિનારાના ગામોના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યા હોય જે સ્થળાંતરિત થયેલ લોકોના ભોજન માટે સંસ્થાઓ આગળ આવી રહી છે જેમાં શ્રી રામ ગ્રુપ ઓફ કંપની દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા
રમેશભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ તેમજ બાબુભાઈ ભીમાભાઇ હુંબલ અને હિરેનભાઈ જશભાઈ હુંબલના આયોજન હેઠળ શ્રી રામ ગ્રુપ ઓફ કંપની દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા વાવાઝોડાને પગલા વર્ષામેડી ગામમાંથી અગરિયા પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા હોય ત્યારે વર્ષામેડી ગામમાં અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા

(6:28 pm IST)