સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

મોરબી જલારામ મંદિર દ્વારા સ્થળાંતર કરેલ ૪૩૩ લોકો માટે ભોજનનો સેવાયજ્ઞ. જુમાવાડીમાં રહેતા ૪૩૩ લોકોને હાલ ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતર કરાયું

મોરબી : માળિયા તાલુકામાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જુમાવાડી વિસ્તારના રહીશોનું સ્થળાંતર કરાયું હોય જે સ્થળાંતર કરેલ લોકો માટે મોરબી જલારામ મંદિરે ભોજનની વ્યવસ્થા કરી છે
જુમાવાડીમાં રહેતા ૪૩૩ લોકોને હાલ ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે જે તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા કરવામાં આવી છે મોરબી જલારામ મંદિર દ્વારા ભૂખ્યાને ભોજનનો સેવાયજ્ઞ બારેમાસ ચલાવાય છે ત્યારે હાલના વિપરીત સંજોગોમાં પણ તેમને ભોજન વ્યવસ્થા કરીને માનવતા મહેકાવી છે

(6:30 pm IST)