સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

પોરબંદરમાં કોરાનાથી વધુ એકનું મોત : અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક પ૦ : નવા ૩ પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :  કોરોનાની સારવાર દરમિયાન વધુ એક પુરૂષ દર્દીનું મોત નીપજયું હતું. જિલ્લામાં કુલ મૃત્યુઆંક પ૦ પહોંચ્યો છે. કોરોના પોઝિટીવના નવા ૩ કેસ આવ્યાં છે. ગઇકાલે કોરોનાના ૯૭ કેસના સેમ્પલ લીધા હતા. જેમાં ૯૪ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ હતા.

કોરોનાના નવા પોઝીટીવ ૩ કેસમાં વ્હોરાવાડામાં ૧૮ વર્ષના યુવક, બીરલા કોલોનીમાં પ૮ વર્ષના પુરૂષ તથા કડિયા પ્લોટમાં ૭૮ વર્ષના વૃધ્ધાનો સમાવેશ થાય છે.

કોરોનાની સારવાર દરમિયાન ૧૪ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ કોરોનાના ર૦ દર્દીઓ તથા હોમ આઇસોલેશનમાં ૧ વ્યકિત રહેલ છે.

(1:02 pm IST)