લોધીકાનાં ખીરસરામાં નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે કોરોના રસીકરણ
ખીરસરા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર વેકિસન કાર્યક્રમ શરૂ થઇ ગયેલ છે ખીરસરા પ્રાથમિક આરોગ્યની મુલાકાતે આરોગ્ય વિભાગીય નાયબ નિયામક ડોકટર રૂપાલીબેન મહેતાએ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વેકિસંગ સેન્ટરની મુલાકાત લીધી તેમજ આરોગ્ય કર્મચારી પાસેથી તથા મેડિકલ ઓફિસર ખીરસરા પ્રાથમિક આરોગ્ય પાસેથી માહિતી મળવેલ તેમજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા સબ સેન્ટર ખીરસરા વાજડી વડ હરીપર પાળ ચીભડા સાંગણવા તેમજ મેટોડા જીઆઇડિસીમા બે સહિત સાત સેન્ટર ઉપર વેકિસન કાર્યકમ રાખવામાં આવેલ છે જેમા લોધીકા તાલુકાના તેર ગામના લોકો વેકિસન લેશે તૈમજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્ત્।ે ૧૪૦૦ વેકિસન ડોઝ આવેલ છે તેવું લોધીકા તાલુકા આરોગ્ય અધિકારી ડો મંથન માકડિયા જણાવે છે તેમજ લોધીકા તાલુકા મામલતદાર કે.કે.રાણાવશીયાની યાદી મુજબ લોધીકા તાલુકાના ત્રણ પ્રાથમિક આરોગ્ય તેમજ લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મળી કુલ લોધીકા તાલુકામાં ૩૫૦૦ વેકિસન ડોઝનો લક્ષ્યાંક છે તેમજ વહેલી સવારથી મોડી સાંજ સુધી આ કાર્યકમ ચાલશે તો તાલુકા ની જનતાએ વેકિસન કાર્યકમમાં ભાગલેવા અપીલ કરેલ છે. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)