News of Friday, 17th September 2021
રાષ્ટ્ર પુરૂષનાં જન્મદિને વ્યાસપીઠની શુભેચ્છાઃ પૂ.મોરારીબાપુએ નરેન્દ્રભાઇને અભિનંદન પાઠવ્યા
રાજકોટ તા. ૧૭ :.. ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે શ્રી મોરારીબાપુએ તેમને શુભેચ્છા પાઠવી છે. આજે પીએમ મોદી ૭૧ વર્ષના થઇ ગયા છે.
આ પ્રસંગે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપુરૂષના જન્મ દિવસે વ્યાસપીઠ તરફથી ઘણી શુભેચ્છા અને અભિનંદન. બાપુએ પીએમ મોદીને પત્ર લખીને એમના વંદનીય માતા પૂજય હિરાબાને પણ પ્રણામ કર્યા છે.
(12:00 pm IST)