જૂનાગઢમાં 'નમો મેળો' ખુલ્લો મુકતા નવનિયુકત નાણામંત્રી કનુભાઈ દેસાઈ
નરેન્દ્રભાઈના જન્મદિન નિમિત્તે ભવનાથ મંદિરે પૂજન-અર્ચનઃ બ્રહ્મસમાજ દ્વારા સન્માન
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૭ :. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે આઝાદ ચોક ખાતે આવેલ રેડક્રોસ હોલ ખાતે આજે શ્રી મોદીના જીવનચરિત્રની તસ્વીરી ઝલકનો નમો મેળો, તસ્વીરી પ્રદર્શન રાજ્યના નવનિયુકત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ. જેમાં આ મેળો ખુલ્લો મુકી પ્રદર્શન નિહાળતા કનુભાઈ દેસાઈ સાથે શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, મહામંત્રી શૈલેષભાઈ દવે, અશોક ભટ્ટ, ભરત શિંગાળા, યોગી પઢીયાર તેમજ જીતુ મણવર, સંજય પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આજે જુનાગઢ ભવનાથ મંદિર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે દીઘાયુષ્ય માટે નવા નિયુકત રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પૂજન અર્ચન કર્યુ હતું ઉપરોકત તસ્વીરમાં ભવનાથ મહાદેવનું પૂજન કરતા શ્રી કનુભાઇ દેસાઇ સાથે શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા મેયર ધીરૂભાઇ ગોહેલ ડે. મેયર હિમાંસુ પંડયા, પૂર્વ ડે. મેયર ગીરીશભાઇ કોટેચા મહામંત્રી શૈલેષ દવે, સંજય મણવર કોર્પોરેટર એભા કટારા, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે આજે સવારે ગુજરાત રાજયના નવનિયુકત નાણામંત્રી કનુભાઇ દેસાઇનું સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું ઉપરોકત તસ્વીરમાં ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી કનુભાઇનું સન્માન કર્યા બાદ સમુહ તસ્વીરમાં શ્રી દેસાઇ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, તેમજ જુનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે. ડી. પંડયા અને શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી, મુકેશભાઇ મહેતા, યોગેશ પુરોહિત સહિતના નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘલા જુનાગઢ)