માંગરોળના શેરીયાજબારા ગામમાંથી તંત્ર દ્વારા ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકોનું સ્થળાંતર : પોરબંદરમાં પૂજ્ય રમેશભાઇ ઓઝા ભાઇશ્રીના માર્ગદર્શનથી સાંદીપનિ વિદ્યાનિકેશતનના દ્વારા ફૂડ પેકેટની તૈયારી
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડાના સંભવિત ખતરાની પૂર્વતૈયારીરૂપે પોરબંદરમાં પૂજય રમેશભાઈ ઓઝા ભાઇશ્રીના માર્ગદર્શનથી સાંદીપનિ વિદ્યાનિકેતના દ્વારા ફૂડ પેકેટની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ફૂડ પેકેટ્સ પોરબંદર જિલ્લામાં આશ્રયસ્થાનોમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં આવશે. માંગરોળનું શેરીયાજ બારા ગામ જે દરીયાથી અત્યંત નજીકમાં આવેલ છે અને આ ગામના લોકોનું પુંરેપુંરૂં સ્થળાંતર કરવાનું થતું હોય જેથી હાલમાં તંત્ર દ્વારા ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને પ્રાથમીક શાળા ખાતે રખાયા છે હજુપણ ૪૦૦ જેટલા લોકોનું આજ સાંજ સુધીમાં સ્થળાંતર થવાના અહેવાલ મળી રહયા છે. સ્થળાંતર થયેલા લોકોને ફુટપેકેટ આપીને ભોજન વ્યવસ્થા કરાઇ છે અને પાણી સહીતની પુરી વ્યવસ્થા કરાઇ ચુકી છે.જો આજ સાંજ સુધીમાં વાવાઝોડું આવવાની અશર દેખાશે તો ૪૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડશે.