News of Tuesday, 18th May 2021
ઓખા વિસ્તારમાં ૭૦૦ લોકોનું સ્થળાંતર
(ભરત બારાઇ દ્વારા)ઓખા,તા. ૧૮: ઓખા, ડાલડા બંદર વિસ્તાર, સૂરજ કરાડી સહિત ના વિસ્તારોમાં દરિયા કાંઠે અને કાચી ઝૂંપડપટ્ટી માં રહેતા ૭૦૦ જેટલા લોકો ને સુરક્ષિત સ્થાને પ્રશાસન દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓ ને સરકાર દ્વારા બનાવાયેલ આશ્રય સ્થાન માં આશરો અપાયેલ છે.
તકેદારી ના પગલાં રૂપે ઓખા બેટ વચ્ચે ચાલતી બોટો પણ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે અને ઓખા પંથક માં દુકાનો પણ સોમવાર બપોર પછી બંધ કરાવી દેવામાં આવી છે.ᅠ
ઓખા બેટ વચ્ચે બની રહેલ સિગ્નેચર બ્રિજ નું કામ પણ બંધ કરાવી દીધું છે અને ત્યાં કામ કરતા માણસો ને પણ સુરક્ષિત સ્થાને આશ્રય આપ્યો છે.
(10:43 am IST)