News of Tuesday, 18th May 2021
ઉનાનો ગ્રામ્ય પંથક સાફ : કેરી - નાળીયેરીના બગીચા ખેદાન - મેદાન : પશુના કેટલ શેડ તૂટી પડયા
રાજકોટ : તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લો અને ઉના તાલુકામાં ભારે તારાજી સર્જી છે, ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આંબા - કેરીના બગીચા - નાળીયેરીના બગીચા તથા પશુધનને રાખવાના કેટલશેડને ભારે મોટુ નુકસાન થયું છે, કરોડોનું નુકસાન થતા કેરી - નાળીયેરીના બગીચાના માલીકો હતપ્રત બની ગયા છે. તસ્વીરમાં તાઉતેએ સર્જેલી તારાજી નજરે પડે છે.
(3:01 pm IST)