ઓખા-બેટ વચ્ચે ચાલતી વધુ પ પેસેન્જર બોટના પરવાના રદ
(ભરત બારાઈ દ્વારા) ઓખા, તા.૧૮: બેટ વચ્ચે ચાલતી ૫ પેસેન્જર બોટોના પરવાના GMB દ્વારા રદ કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજર બોર્ડ ના અધિકારી સાથે બોટ ચાલકો દ્વારા ગેર વર્તણુક કરતા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ૫ બોટોના પરવાનાᅠ ૮ દિવસ માટે રદ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને બોટ ધારકો માં રોષ ની લાગણી જોવા મળેલ છે.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા વેકેશન દરમિયાન બોટ ચાલકો દ્વારા નિયત કેપેસીટી કરતા વધુ પેસેન્જરોને બેસાડવામાં આવતા જેને લઈ પેસેન્જરની જાન જોખમમાં મુકાઈ જાય છે અને આ ઉપરાંત નિયત ભાડા કરતા બેફામ વધુ ભાડા વસૂલવામાં આવતા GMB દ્વારા ૯ બોટોના પરવાનાં ૮ દિવસ માટે રદ કરવામાં આવેલ હતા.
આમ ફરી આજે પણ બોટ ચાલકો અને ઞ્પ્ગ્ આમને સામને આવી ગયેલ છે.