સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th October 2021

ધોરાજી તાલુકા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપૂજન :

ધોરાજી : તાલુકા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ હતુ. રાજપુત સમાજના ભાઇઓ અને શકિત બહેનો દ્વારા પૂજા અર્ચના અને મહાઆરતી યોજાઇ હતી અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરેલ હતી. ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ લોકોને આવકારેલ હતા. પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા અને ઉપપ્રમુખ રણજીતસિંહ જાડેજા અને નિવૃત સેવાભાવી ફોઝી ગંભીરસિંહ વાળા અને કારોબારીના સભ્યશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહેલ હતા. શસ્ત્રપુજન કરવામા આવ્યુ તે તસ્વીર.

(10:41 am IST)